Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ભાવનગર મા ૬૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : જિલ્લામાં નોંધાયેલા ૨,૭૩૦ કેસો પૈકી ૫૪૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ

વિપુલ હિરાણી ભાવનગર તા.૨૯ : ભાવનગર જિલ્લામા આજરોજ ૬૧ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૭૩૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૪ પુરૂષ અને ૧૨ સ્ત્રી મળી કુલ ૩૬ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના નવા રતનપર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના નિરમા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, ગારીયાધાર તાલુકાના સિતાપુર ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના મલેકવદર ગામ ખાતે ૫, જેસર ખાતે ૧, મહુવા તાલુકાના મોટી જાગધાર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના રાતોલ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના નાના આસરાણા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૨, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે  ૧, તળાજા તાલુકાના દેવલી ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૪ અને તાલુકાઓના ૧૯ એમ કુલ ૪૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૨,૭૩૦ કેસ પૈકી હાલ ૫૪૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૨,૧૩૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(9:32 pm IST)