Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કુંકાવાવના તાલાળી પંથકમાં સિંહ પરિવારના ધામા

સિંહણ ઇજાગ્રસ્ત હોવાનું ખુલ્યું : ૨ બચ્ચા પણ સાથે છે

(નરેશ શેખલીયા દ્વારા) ગોંડલ તા. ૨૯ : અમરેલીના કુકાવાવ પંથકના તાલાળી ગામે સિંહ પરિવારે ધામા નાખ્યા છે. સિંહણે બે બચ્ચા સાથે રોઝનું મારણ કર્યું છે.

સિંહણ ઇજાગ્રસ્ત હોવાની વિગતો સામે આવી છે. વન વિભાગે રેસ્કયુ કરીને સારવાર નહીં આપે તો બાળસિંહ વિખુટા પડે તેવી શકયતા છે.

અમરેલી જિલ્લાની બોર્ડર પરના ગોંડલના દેરડી(કુંભાજી) પંથકમાં દર વર્ષે સિંહ પરિવાર આવી ચડતા લોકોમાં ચિંતા પ્રસરી છે.

(11:14 am IST)