Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જામનગરમાં રાજકોટની નવોઢા નિલોફરને પતિ ઇરફાને માર માર્યો

ચાર મહિના પહેલા જ શાદી થઇ છેઃ સારવાર અપાઇ

રાજકોટ તા. ૨૯: જામનગર બેડેશ્વરમાં કરબલા ચોકમાં રહેતી નિલોફર ઇરફાન રફાઇ (ઉ.વ.૨૨)ને ગઇકાલે તેના પતિએ ઢીકાપાટુનો માર મારતાં પેટ શરીરે મુંઢ ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને જયમિન પટેલે જામનગર બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

નિલોફરના સગાના કહેવા મુજબ તેણીના માવતર રાજકોટ દૂધ સાગર રોડ પ મનહરપરામાં રહે છે. તેણીની શાદી ચાર મહિના પહેલા જ ઇરફાન સાથે થઇ છે. ઇરફાન વેલ્ડીંગ કામ કરે છે. લગ્નના બે મહિના બાદ નિલોફરને ખબર પડી હતી કે પતિ મોબાઇલમાં કોઇ બીજા સાથે વાતો કરે છે. આ બાબતે માથાકુટ થતાં તેણીને માવતરે લાવવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ સમાધાન કરીને તેડી જવાઇ હતી. ત્યાં ગઇકાલે પતિએ મારકુટ કરી હતી. તેમ જણાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)