Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કેરાળા-ઉબેણ ડેમ ઓવરફલો થતાં વંથલી જુનાગઢ ગ્રામ્યનાં લોકોને સાવચેત કરાયા

ઓઝત-બાદલપુર ડેમના ૭ દરવાજા ખોલાયા

(વિનુ જોશી) જુનાગઢ તા.ર૯ : રાત્રીના ભારે વરસાદથી જુનાગઢ તાલુકાના કેરાળા - ઉબેણ ડેમ ઓવરફલો થતાં જુનાગઢ તેમજ વંથલી ગ્રામ્યનાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

જુનાગઢ શહેર-જિલ્લામાં મધરાતથી મેઘાએ વરસવાનું શરૂ કરતા જળાશયો, વોંકળા-નદીઓમાં નવા નીર આવ્યા હતા.

જુનાગઢ તાલુકાનો કેરાળા ડેમ ઉપલેટા ડેમ વહેલી સવારે ઓવરફલો થતાં જુનાગઢ અને વંથલી ગ્રામ્યનાં લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

બીજી તરફ ઓઝત - બાદલપુર ડેમ ફરી ઓવરફલો થતાં તેના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે.

(11:51 am IST)