Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મોરબીમાં માધાપર વિસ્તારમાં પહેલા માળેથી પડી ગયેલ આધેડનું સારવાર દરમિયાન મોત.

મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા આધેડ ઘરે પહેલા માળેથી પડી જતા તેને સારવાર માટે પ્રથમ રાજકોટ બાદ વધુ સારવાર માટે અમદવાદ લઇ જવાના આવ્યા હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હોવી માહિતી મોરબી તાલુકા પોલીસ પાસેથી મળી હતી

મળતી માહિતી મુજબ મોરબીની માધાપર શેરી-૨૨ માં રહેતા વનરાજસિંહ નટુભા ઝાલા (ઉ.૫૦) ગત તા.૦૯-૦૯ ના રોજ પોતાના ઘરે પહેલા માળેથી પડી જતા તેને પ્રથમ રાજકોટ બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગત તા,૧૩-૦૯ ના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હોય જેથી મોરબી તાલુકા પલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:11 pm IST)