Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં શહીદ જવાનોના પરિવારને 1-1 લાખની સહાય.

 મોરબીના સેવાભાવી એવા અજયભાઈ લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં શહીદ જવાનોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

પાટીદાર નવરાત્રિ મહોત્સવના બીજા નોરતે અજયભાઈ લોરિયા દ્વારા બનાસકાંઠાના વડગામના શહીદ જવાન રમેશભાઈ અને મહેમદપુર (જમ્મુ)ના શહીદ જવાન જસવંતસિંહના પરિવારજનોને 1-1 લાખ રૂપિયાના ચેક આપી આર્થિક સહાય કરીને મા ભારતીનું ઋણ ચુકવવાનો પ્રયાસ કરાયો હતો.

(1:02 am IST)