Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

માતાના મઢની નવરાત્રીની આરતીમાં આજે નરેન્‍દ્રભાઇ વર્ચ્‍યુઅલ દર્શન કરી જોડાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. નરેન્‍દ્રભાઈ પોતાના પ્રવાસ દરમ્‍યાન આજે રાત્રે મા આશાપુરાની નવરાત્રિની આરતીના દર્શન કરી જોડાશે. આ પ્રસંગે માતાના મઢ જાગીરમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. જાગીરના અધ્‍યક્ષ રાજાબાવા યોગેન્‍દ્રસિંહજી અને સર્વે ટ્રસ્‍ટીઓએ અત્‍યારથી જ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને ભાવભર્યો આવકાર આપ્‍યો છે.

(1:48 pm IST)