Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ક્રાંતિકારી સેના દ્વારા ભગતસિંહની પ્રતિમાની સફાઈ : રાષ્ટ્રધ્વજ તિરંગાને અગ્નિ સંસ્કાર આપ્યો.

મોરબી : દેશના મહાન ક્રાંતિકારી વીર શહીદ ભગતસિંહની જન્મ જયંતી નિમિતે ક્રાંતિકારી સેના દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાની સાફ સફાઈ કરીને ફૂલહાર કરવામાં આવ્યા હતા

તે ઉપરાંત ક્રાંતિકારી સેના દ્વારા સરકારના હર ઘર તિરંગા અભિયાન બાદ રાષ્ટ્રધ્વજ એકત્ર કરવામા આવ્યા હતા રાષ્ટ્રધ્વજ રોડ પર જ્યાં ત્યાં પડ્યા ના રહે તેવા હેતુથી રાષ્ટ્રધ્વજ એકત્રિકરણ અભિયાન ૪૪ દિવસ સુધી ચલાવ્યું હતું અને હજારો રાષ્ટ્રધ્વજ એકત્ર કરવામાં આવ્યા હતા જેને શહીદ ભગતસિંહના જન્મદિવસ પ્રસંગે અગ્નિ સંસ્કાર આપીને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો

(12:31 am IST)