Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

પરિમલભાઈ નથવાણીની ખાસ ઉપસ્થિતિમાં આગામી ચૂંટણી સબબ અભિપ્રાય દર્શાવવા રઘુવંશી આગેવાનોની એક બેઠક જામ ખંભાળિયા અને જામનગરમાં આવતીકાલે મંગળવારે બોલાવવામાં આવી

આંધ્રના રાજ્ય સભાના સાંસદ અને જામનગર પંથકના રઘુવંશી અગ્રણી પરિમલભાઈ નથવાણીની ઉપસ્થિતિમાં આવતીકાલે મંગળવારે બપોરે ૧ વાગે સર્વોદય પાર્ટી, પ્લોટ જોગર્સ પાર્કની બાજુમાં, જામનગર ખાતે રઘુવંશી અગ્રણીઓનું મિલન અને સ્વરુચિ ભોજન યોજાયેલ છે. જામ ખંભાળિયા માં કાલે યોજાયેલ સમારોહમાં તેઓ હાજરી આપે તેવી શક્યતા હોવાનું જાણવા મળે છે. ખંભાળિયામાં રવિવારે યોજાયેલ મિલન સમારોહમાં પાંખી હાજરી રહ્યાની પણ ચર્ચા છે

(12:18 am IST)