Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગોકુલધામ-નાર વચનામૃત જયંતિ નિમિતે હોસ્પિટલોમાં અન્નકૂટ પ્રસાદનું વિતરણ

વાંકાનેર : સ્વામિનારાયણ ગોકુલધામ-નારમાં શ્રીજી ઐશ્ચર્યધામ મંદિર ખાતે સફરજન, મોસંબી, સીતાફળ, પપૈયા, જામફળ વિગેરે ફ્રુઠ મીઠાઇઓ તેમજ બેકરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેનો વિદ્યાર્થીઓ તથા આસપાસના ગામ જનોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ફળફ્રુટના પ્રસાદને તારાપુર, પેટલાદ, સોજીત્રા, બોરસદ શહેરની હોસ્પિટલોમાં દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. યજમાનોની સંપત્તિની સદઉપયોગથી પ્રેરણા સ્વામી શુકદેવપ્રસાદદાસજી તથા સ્વામી હરિકેશવદાસજીએ આપી હતી. અન્નકુટ સજાવટ તથા વિતરણનું આયોજન સંતમંડળ તેમજ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું.

(11:44 am IST)