Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

આટકોટ : સરધાર સ્વામી નારાયણ મંદિરે પાટોત્સવ

   આટકોટ : સરધારની આંતરરાષ્ટ્રીય ભવ્ય મૂર્તિ  પ્રતિષ્ઠા બાદ ૧ વર્ષ બાદ અત્યારે તારીખ ૨૭ થી ૨ ડિસેમ્બર સુધી મંદિરના  પ્રથમ પાટોત્સવ નિમિત્તે મંદિરના  પ્રેરક સ્વામી નિત્યસ્વરૂપદાસજીના  કંઠે ૪૦૧મી સત્સંગિજીવન કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે આ  પ્રસંગનો પોથીયાત્રાના માધ્યમથી આ  પ્રસંગનો રંગેચંગે  પ્રારંભ થઈ ગયો છે . આ કાર્યક્રમમાં ગામેગામથી અનેક પૂ. સંતો પધારશે અને દેશ વિદેશથી હજારો ભકતો ઉત્સવનો લાભ લેવા પધાર્યા છે .  ૨ ડિસેમ્બર પાટોત્સવના દિવસે પૂ. સંતો દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણનો ષોડષોપચાર  દ્વારા અને કેસર જળ તેમજ અનેક તીર્થોના જળથી સૌપ્રથમ વાર અભિષેક કરીને મેઘરાજાના વધામણાં કરવામાં આવશે અને અન્નકૂટ ધરાવવામાં આવશે.  (તસ્વીર-અહેવાલ : કરશન બામટા,આટકોટ)

(11:47 am IST)