Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

પોરબંદરની રતનપર સીમમાં ૧૫ દિ'થી ધામા નાખેલ સિંહે ગૌશાળામાં વધુ ૫ પશુઓના મારણ કર્યા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૯ : રતનપર સીમમાં ૧૫ દિવસથી ધામા નાખેલ છે. વન વિભાગ દ્વારા સિંહને પકડવા પાંજરા મુકયા હતા છતાં આ સિંહ હાથ આવતો નથી. આ સિંહે નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં ફરી ત્રાટકીને ૩ ગાયો અને ૨ આખલાનું મારણ કરી ગયેલ છે.

રતનપર સીમમાં ૧૫ દિવસથી ધામા નાખેલ સિંહ નગરપાલિકા સંચાલિત ગૌ શાળામાં ફરી ત્રાટકીને ૩ ગાયો અને ૨ આખલાના મારણ કરી ગયેલ છે. રતનપર અને ઓડદર સીમમાં આંટાફેરા કરતા આ સિંહે અત્‍યાર સુધીમાં ૭ પશુઓને ફાડી ખાધા છે.  રતનપર સીમમાં રહેલ આ સિંહ ક્‍યારેક ઇન્‍દિરાનગગર રહેણાંક વિસ્‍તાર સુધી આવી જાય છે. વન વિભાગે આ સિંહને પકડીને સિંહની જંગલ વિસ્‍તારમાં વસવાટ માટે વ્‍યવસ્‍થા કરવા અથવા રતનપર અને ઓડદર વચ્‍ચે આવેલ પાલિકાની ગૌશાળાને શહેરમાં ખસેડવા ડો. નેહલબેન કારાવદરાએ વન વિભાગમાં રજૂઆત કરી છે.

(1:15 pm IST)