Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર મનોજ કથિરીયા દ્વારા અનોખુ સોગંધનામું

 મનોજ કથિરીયાએ પાંચ વર્ષ સુધી પક્ષ પલટો ન કરવાની કે રાજીનામું ન આપવાની લેખિતમાં મતદારોને ખાતરી આપી : ધારાસભ્યોને મળતા પગાર, ભથ્થા સહિતની કોઈ સવલત પણ ન લેવાની બાંહેધરી આપી

જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર મનોજ કથિરીયાએ અનોખુ સોગંદનામું રજૂ કર્યું. મનોજ કથિરીયાએ પાંચ વર્ષ સુધી પક્ષ પલટો ન કરવાની કે રાજીનામું ન આપવાની લેખિતમાં મતદારોને ખાતરી આપી છે. આ ઉપરાંત ધારાસભ્યોને મળતા પગાર, ભથ્થા સહિતની કોઈ સવલત પણ ન લેવાની બાંહેધરી આપી. મનોજ કથિરીયાએ કહ્યું કે હું કમાવવા માટે નહીં પરંતુ વેપાર-ધંધો છોડીને પ્રજાની સેવા માટે રાજકારણમાં આવ્યો છું.

(7:55 pm IST)