Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પાલિતાણા ખાતેના ઓધુભાણ ભટ્ટ પરિવારના કુળદેવી મમ્માઈ માતાજીના મંદિરે રવિવારે પાટોત્સવ

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮ :  ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિના ઓધુભાણ ભટ્ટ પરિવારના કુળદેવી મમ્માઈ ભવાની માતાજીનો રવિવારે પાટોત્સવ યોજાશે. પાટોત્સવ નિમિત્તે હોમાત્મક-હવન તેમજ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિના ઓધુભાણ ભટ્ટ પરિવારના કુળદેવી મમ્માઈ ભવાની માતાજીનો પાટોત્સવ તારીખ ૨૮--૨૩ને રવિવારના રોજ સર્વોદય સોસાયટી, પાલિતાણા ખાતે યોજાશે. પાટોત્સવ નિમિત્તે મંદિરના પટાંગણમાં હોમાત્મક હવન તેમજ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ  પ્રસાદનું આયોજન હોય સર્વ જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા ટ્રસ્ટીઓ દ્વારા અનુરોધ કરાયો છે.

(11:06 am IST)