Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલયમાં ‘‘પરીક્ષા'' પે ચર્ચા

પોરબંદરઃ જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો ‘‘પરીક્ષા પે ચર્ચા-ર૦ર૩'' કાર્યક્રમ યોજાયો હતો. કલેકટકરશ્રી અશોક શર્માએ જણાવ્‍યું હતું કે, પરિશ્રમ એજ પારસમણિ છે, તમે જો મહેનત કરશો તો જ તમને સફળતા મળશે. તેમણે શિક્ષકોને માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે, શિક્ષકોએ વર્ગમાં અભ્‍યાસ કરતા દરેક બાળકને સારામાં સારૂ શિક્ષણ પ્રાપ્ત થાય તેવા પ્રયાસ કરવા જોઇએ આ સાથે દિલ્‍હીથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના અધ્‍યક્ષ સ્‍થાનેથી ‘‘પરીક્ષા પે ચર્ચા ર૦ર૩'' નું જીવંત પ્રસારણ વિદ્યાર્થીઓ તથા ઉપસ્‍થિત તમામ મહાનુભાવોએ નિહાળ્‍યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કે.ડી.કણસાગરા કે.ડી.કણસાગરા, જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રી કુમાવત, શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. વડાપ્રધાનના પરીક્ષા પેચર્ચા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્‍યું તે તસ્‍વીર

(1:25 pm IST)