Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

સાવત્‍થી તીર્થધામનો બુધવારે ૩૪મો ધ્‍વજારોહણ મહોત્‍સવ

પૂ. આ. દેવ જિનચન્‍દ્ર સૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર  તા. ૩૦ :.. અમદાવાદ હાઇવે બાવળા સ્‍થિત સાવત્‍થી તીર્થધામનો તા. ૧ ને બુધવારે ૩૪મો ધ્‍વજારોહણ દિવસ છે. જેમાં પૂ. આ. દેવ ભુવનસૂરિશ્વરજી મ.સા.ના પટ્ટધર તથા સાવત્‍યથી તીર્થના સર્જક પૂ. આ. દેવ જિનચન્‍દ્રસૂરિશ્વરજી મ.સા. પોતાના પટ્ટધરો પૂ. આ. દેવ શરદચન્‍દ્રસૂરિશ્વરજી મ. સા. તથા આજીવન ગુરૂચરણોપાસક પૂ. મુનિરાજ અજિતચન્‍દ્રવિજયજી મ. સા. આદી મુનિગણ સાથે પાવન નિશ્રા પ્રદાન કરશે.

બુધવારે ધ્‍વજારોહણ દિને સવારે ૮.૩૦ કલાકે ધ્‍વજારોહણનો વરઘોડો, ૯.૩૧ કલાકે પરમ કલ્‍યાણ દાયક શ્રી સત્તરભેદી મહાપૂજા યોજાશે. આ પાવન પ્રસંગે પૂ. વિદુષી સાધ્‍વીજી શ્રી નયપ્રજ્ઞાશ્રીજી મ., પૂ. શ્રી મુકિતપ્રજ્ઞાશ્રીજી મ. તથા પૂ. શ્રી શીલપ્રજ્ઞાશ્રીજી મ. આ. ઠા. પધારશે. સાધાર્મિક ભકિત યોજાશે. વધુ માહિતી માટે મો. ૯૮ર૪૦ ૧૦૩૩ર ઉપર સંપર્ક કરી શકાશે.

(12:42 pm IST)