Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પોરબંદરના કીર્તિમંદિરે ગાંધી નિર્વાણ દિને સાંજે સર્વધર્મ પ્રાર્થના સભા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર ૩૦ : આજે તા. ૩૦ સોમવારે ગાંધી નિર્વાણ દિને સાંજે પ વાગ્‍યે કીર્તિમંદિરે સર્વધર્મ પ્રાર્થના સભા રાખેલ છે

દરવર્ષની પ્રણાલી અનુસાર મહાત્‍મા ગાંધી નિર્વાણદિન તા.૩૦ સોમવારના રોજ સાંજે પ કલાકે પૂ.મહાત્‍મા ગાંધી જન્‍મસ્‍થળ, કીર્તિમંદિર, પોરબંદર ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં અવેલ છે. જે પ્રાર્થના સભામાં સર્વેનાગરીકો તથા જનસમુદાયને ઉપસ્‍થિત રહેવા જાહેર નિમંત્રણ તેમજ કોરોના મહામારીના કારણે સોશ્‍યલ ડીસ્‍ટેન્‍સની ગાઇડલાઇન મુજબ બેઠક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ હોય, જે મુજબ સ્‍થાન ગ્રહણ કરવા કીર્તિમંદિર સંચાલન સમિતિે અને નાયબ કલેકટરની યાદીમાં જણાવાયું છે.

(1:25 pm IST)