Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

સાવરકુંડલાઃજગન્‍નાથજી મંદિર ના મહંત દિલીપદાસજી મહારાજનું શાલ ઓઢાડી સન્‍માન કરતા અમદાવાદ જિલ્લા સિપાહી સમાજ

સાવરકુંડલા : અમદાવાદ જગનાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજશ્રીની અમદાવાદ જિલ્લા સિપાહી સમાજના પ્રમુખ ડો. મહેબૂબ આર. કુરેશી આગેવાનીમાં મુલાકાત લઈ શાલ ઓઢાડી સન્‍માન કરતા કોમી એકતાનું મહા ઉદાહરણ પુરૂ પડેલ છે. અમદાવાદ ખાતેની ભગવાન જગનાથજીની ૧૪૫ મી રથયાત્રા નિકળનાર છે તે પાવન.પ્રસંગે આજે પ્રખર રાષ્‍ટ્રવાદી દેશ પ્રેમી અમદાવાદ જિલ્લા સિપાહી સમાજના અગ્રણી ઓ એ જમાલપુર સ્‍થિત જગનાથીજી મંદિરના મંહત દિલીપદાસજી મહારાજશ્રીની મુલાકાત લીધી તેમજ તેમને સમુતિચિન્‍હ અર્પણ કર્યું તેમજ શાલ ઓઢાડી તેમજ સૌ એ હિન્‍દૂ મુસ્‍લિમ કોમી એકતા અને ભાઈ ચારા ની લાગણી વધુ મજબૂત બને તેમજ   ધર્મ ની એકતા માટે તેમજ રથયાત્રા શાંતિ થી પસાર થઈ જાય તે માટે પ્રાર્થના અને દુઆ કરી હતી.આ કાર્યક્રમ માં અમદાવાદ સિપાહી સમાજ ના પ્રમુખ ફોક્‍ટર મહેબૂબભાઈ આર કુરેશી સલીમભાઈ મીરજા ઉપપ્રમુખ. એડવોકેટ તેમજ લીગલ એડવાઇઝર શ્રી એમ જી શેખ.ડો.મહેબૂબ એચ કુરેશી સંગઠન મંત્રી . અસ્‍સદુલાખાન પઠાણ ખજાનચી . સિકંદર કુરેશી.પ્રવક્‍તા પ્રો.મોહમદ શેખ.ઉસ્‍માન કુરેશી આઈ ટી સેલ ઇસ્‍માઇલભાઈ ભટ્ટી સલાહકાર એ હાજરી આપેલ હતી.  ડો. મહેબૂબ કુરેશી દ્વારા જગનાથજી મંદિર ના મંહત દિલીપદાસ મહારાજ ને સ્‍મૃતી અર્પણ કરી શાલ ઓઢાડી સન્‍માન કરેલ તેથી કોમી એકતા અને ભાઈચારાની લાગણી વધુ મજબૂત બને અને એકતા નું ખૂબ જ સારો મેસેજ અને સંદેશ આપ્‍યો છે.(તસ્‍વીર - અહેવાલઃ ઈકબાલ ગોરી - સાવરકુંડલા)

(1:13 pm IST)