Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

સાવરકુંડલા શહેરી વિસ્‍તાર વોર્ડ નં. ૬ ના વેલનાથપરા વિસ્‍તારમાં સ્‍નાનઘાટ મંજુર

નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્‍દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલના પ્રયત્‍નો સફળ : સાંસદ તેમજ પાલીકા હોદ્દેદારોનો આભાર માન્‍યો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૩૦ : સાવરકુંડલા શહેરી વિસ્‍તારમાં વોર્ડ નંબર ૬ ના જાગળત નગરપાલિકા કોર્પોરેટર  ધર્મેન્‍દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ,જયાબેન ચાવડા, નગમાબેન ઝાખરા દ્વારા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ નગરપાલિકા ના પ્રમુખશ્રી ને સતત રજુઆતો કરી ને વિસ્‍તારમાં જયારે મરણ થાય છે ત્‍યારે વિસ્‍તાર ના બહેનોને ન્‍હાવા માટે જાહેર રોડ ઉપર ન્‍હાવુ પડતુ હોય જેથી વિસ્‍તારમાં ન્‍હાવા માટે તાાનઘાટ ની માંગણી કરતા નગરપાલિકા ના પ્રમુખશ્રીએ સ્‍વણિમ મુખ્‍ય મંત્રી શહેરી વિકાસ યોજના સને ૨૦૧૮/૧૯ ના વર્ષ ની ગ્રાન્‍ટ માથી રૂ. ૬૧૫૬૦૦/- કામ માટે નુ આયોજન કરવામાં આવેલ જેનુ સાવરકુંડલા શહેરી વિસ્‍તારમાં વોર્ડ નંબર ૬ ના વેલનાથપરા વિસ્‍તારમાં બહેનો ને ન્‍હાવા માટે તાાનઘાટ ની વહીવટી મંજુરી માંથી આવી ગયુ છે અને તેની ટેન્‍ડર પ્રક્રિયા શરૂ  થતા વિસ્‍તાર ના લોકો માં હર્ષની લાગણી પ્રસરી છે જેથી અમરેલી ના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી તળપ્તિબેન દોશી, પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઇ દોશી, ઉપપ્રમુખ શ્રી જયસુખભાઇ નાકરાણી, ચિફ ઓફીસર  સાહેબ નો વિસ્‍તાર ના લોકો વતી નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્‍દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે આભાર વ્‍યક્‍ત કર્યો હતો વધુમાં કોર્પોરેટર શ્રી ધર્મેન્‍દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ,જયાબેન ચાવડા, નગમાબેન ઝાખરા એ જણાવ્‍યું છે કે વોર્ડ નંબર ૬ ના વેલનાથપરા વિસ્‍તારમાં મંજુર થયેલ તાાનઘાટ નુ કામ વહેલી તકે ચાલુ કરવા નગરપાલિકા પ્રમુખશ્રી ને જણાવ્‍યુ છે.

(1:15 pm IST)