Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

મોરબીની કુબેરનગર સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા કલેક્ટરને રજૂઆત.

મોરબીઃ મોરબીના નવલખી રોડ પર આવેલી કુબેરનગર સોસાયટીના રહીશોએ કલેક્ટરને અશાંતધારો લાગુ કરવા લેખિત રજૂઆત કરી છે.
કુબેરનગર સોસાયટીના રહીશોએ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી કે, આ વિસ્તાર હિંદુ બહુમતી ધરાવતો વિસ્તાર હોવાથી અશાંતધારા લાગુ થાય તે માટે અમોએ અરજી કરેલી છે પરંતુ આ અરજી હજુ સુધી પેન્ડિંગ છે. ત્યારે તાત્કાલિક અમારી સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવાની માંગણી કરવામાં આવી હતી.

(11:04 pm IST)