Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જામનગરમાં રોજગાર વિનિયમ કચેરી યોજીત તાલીમવર્ગ

(મુકુંદ બદિયાણી  દ્વારા)    જામનગર,તા.૩૦ : મોટીબાણુંગાર હાઈસ્‍કૂલમાં રોજગાર વિનિમય કચેરી -  યોજિત લશ્‍કરમાં ભરતી માટેના ચાલતા તાલીમ કાર્યક્રમમાં   મોટીવેશનલ સ્‍પીકર ભગવાનજીભાઈ કાનાણી (પ્રિન્‍સીપાલ - ઉમિયાજી મહિલા કોલેજ-ધ્રોલ) અ તાલીમઆર્થીઓને ગણિત ગમ્‍મતમાં મેથ્‍સ પઝલ અને જનરલ નોલેજમાં પ્રશ્‍નોતરી સાથે ગમ્‍મત કરાવી ભારતની ભવ્‍ય સંસ્‍કળતિ અંગે પ્રેરણાદાયક પ્રવચન આપેલ. તાલીમાર્થીઓએ ઉત્‍સાહ પુર્વક પ્રશ્‍નોતરીના જવાબો આપેલ. દરેક તાલીમાર્થીઓને પરીક્ષાલક્ષી સાહિત્‍ય પણ આપવામા આવેલ. તાલીમવર્ગના સંચાલક  જાડેજાભાઈએ  તેમ આભાર દર્શન કરેલ કેશવજીભાઇ ઘેટિયા  આચાર્ય શ્રી પટેલ ભીમજી ડાયાભાઇ બાલેશ્વર વિનય મંદિર હાઇસ્‍કૂલની યાદીમાં જણાવેલ છે.

(12:04 pm IST)