Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ભવનાથમાં નવરાત્રી અંતર્ગત માં અંબાની આરતી

જુનાગઢ,તા.૩૦ :  મોદી અમદાવાદ ખાતેના જીએમડીસી મેદાનમાં આયોજિત વાઇબ્રન્‍ટ નવરાત્રી મહોત્‍સવ સહભાગી થતા માં અંબાની મહાઆરતીમાં જોડાયા હતા. આ સાથે રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ પણ આ મહાઆરતીમાં જોડાયા હતા.

 અમદાવાદ ખાતેની આ મહાઆરતીમા ગરવા ગિરનાર પર બિરાજમાન માં અંબાના સાનિધ્‍યેથી ગિરનાર તળેટી(ઉડન ખટોલા સ્‍ટેશન) ખાતેથી વર્ચ્‍યુઅલી સાધુ-સંતો, સાંસદ   રાજેશભાઈ ચુડાસમા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર સહિતના મહાનુભાવોએ આ મહાઆરતીમાં ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્‍યના અન્‍ય શક્‍તિસ્‍થાનોથી પણ અમદાવાદ ખાતેની મહા આરતીમાં વર્ચ્‍યુઅલી જોડાયા હતા.

જૂનાગઢના સાધુ સંતો પણ સહભાગી થયા હતા.

    આ પ્રસંગે સાંસદ  રાજેશભાઈ ચુડાસમા, મેયર  ગીતાબેન પરમાર,ડેપ્‍યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ  પુનિતભાઈ શર્મા, નગરસેવક એભાભાઈ કટારા, આરતીબેન જોશી, અગ્રણી  મોહનભાઈ પરમાર, નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક   પી. જી. પટેલ,  પ્રાંત અધિકારી  ભૂમિબેન કેશવાલા સહિતના પદાધિકારી અધિકારી અને ભાવિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન મહાનગરપાલિકા જુનાગઢ અને વહીવટી તંત્રના સંકલનથી કરવામાં આવ્‍યું હતું.

(12:12 pm IST)