Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ધોરાજી સુપેડીના ગોરધનભાઇ વાવૈયાનું ચક્ષુદાન

ધોરાજી તા. ૨૯ : સુપેડી ગામે રહેતા ગોરધનભાઇ નાથાભાઇ વાવૈયાને છાતીમાં દુઃખાવો ઉપડતા સરકારી દવાખાને સારવારમાં આવતા અને સારવાર દરમ્યાન મૃત્યુ થતાં તેમના પરીવારજનોએ ચક્ષુદાન કરવા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા તથા સાગર સોલંકીનો સંપર્ક કરી સરકારી હોસ્પિટલ ખાતે ડો. જયેશ વેસેટીયન, ડો. રાજબેરા અને મેડીકલ ટીમના નિતીન સાગઠીયા, વિજય ભાષ્કર, સહીતનાઓએ સ્વ.નું ચક્ષુદાન કરી માનવ સેવા યુવક મંડળને સોંપેલ હતું. અને સ્વ.ના ચક્ષુઓને રાજકોટ સરકારી જી.ટી.શેઠ હોસ્પિટલ ખાતે મોકલી દેવાયા હતા. આ તકે મહેન્દ્ર વાવૈયા, કૈલાસભાઇ પેથાણી, મગનભાઇ વાવૈયા, એડવોકેટ અરવિંદભાઇ વાવૈયા અને માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકી હાજર રહી સ્વ.ને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ.આ સાથે માનવ સેવા યુવક મંડળને ૬૪મું ચક્ષુદાન મળેલ હતું.(

(12:36 pm IST)