Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જામનગરમાં લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત નવરાત્રી મહોત્‍સવમાં નરેશભાઇ પટેલની ઉપસ્‍થિતી

જામનગર : જામનગરમાં લાલપુર બાયપાસ નજીક આવેલા સેટેલાઈટ પાર્ક ખાતે કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત પાર્ટી પ્‍લોટ માં ચાલી રહેલ ખોડલધામ નવરાત્રી મહોત્‍સવ પ્રસંગે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ આવી પહોંચ્‍યા હતા અને મા ખોડલ ના આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. આ તકે તેઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, માતાજીની આરાધના આ પાવન પર્વે જામનગરમાં આવવાનું થયું છે. જ્‍યારે રાજકારણ અંગે સવાલ પૂછાતા તેઓએ આ સ્‍થળેથી હું ઉચિત ન ગણાય તેવું કહીને કંઈ પણ કહેવાનું ટાળ્‍યું હતું.  (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર :  કિંજલ કારસરીયા, જામનગર.

(2:08 pm IST)