Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મોરબીમાં કોરોનામાં અવસાન પામેલ દિવ્ય આત્માઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા :

લખધીરવાસ ચોક ખાતે તા. ૨૭-૧૨ થી કથા પ્રારંભ.

મોરબી : કોરોના મહામારીમાં અવસાન પામેલ દિવ્ય આત્માઓના મોક્ષાર્થે આગામી ડીસેમ્બર માસમાં લખધીરવાસ ચોક ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે
કથાના મુખ્ય યજમાન પદ્યુંમનસિંહ ખુમાનસિંહ ઝાલા દ્વારા મોરબીના લખધીરવાસ ચોક, વાંકાનેર દરવાજા પાસે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે જેમાં તા. ૨૭-૧૨ ને સોમવારથી કથા પ્રારંભ કરાશે જે કથાની પુર્ણાહુતી તા. ૦૨-૦૧-૨૦૨૨ ના કરવામાં આવશે કથામાં વક્તા તરીકે નિખીલભાઈ જોષી વ્યાસપીઠે બિરાજમાન થઈને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

(8:53 pm IST)