Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મોરબીમાં આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં રાજ્યમંત્રીની ઉપસ્થિતિ.

 મોરબીમાં ગત તા. ૨૫ નવેમ્બરથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રસંગોનું ભાવિકો રસપાન કરી રહ્યા છે.
શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન જનકલ્યાણ બ્લોક નંબર ૪૨, સાઇબાગ, ઉમા ટાઉનશીપ, ભારતી વિદ્યાલય સામેના મેદાન, મોરબી ૨ ખાતે કરવામાં આવેલ છે. શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન શાસ્ત્રી દુષ્યંત મારાજ (ખાખરેચી વાળા) દ્વારા કરવામાં આવે છે. આ તકે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.
કથા ગત તા. ૨૫/૧૧/૨૦૨૧ ને ગુરુવારના રોજ પ્રારંભ અને કથાની પુર્ણાહુતી તા. ૧/૧૨/૨૦૨૧ને બુધવારના રોજ થશે. કથાશ્રવણનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યાનો રહેશે. આ કથાના મુખ્ય યજમાન જીજ્ઞેશભાઈ દિલીપભાઈ વ્યાસ છે. શ્રીમદ્દ ભાગવત કથાનો લ્હાવો ભાવિકો લઈ રહ્યા છે.

(11:46 am IST)