Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

થાનગઢમાં આંબેડકરનગરમાં મકાનમાં જુગારધામ પર દરોડો : છ પકડાયા

થાનગઢ પોલીસનો દરોડો : રૂ. ૩ર હજાર રોકડ કબ્જે

રાજકોટ, તા. ર૯ :  થાનગઢના આંબેડકરનગરમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે થાનગઢ પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતો.

મળતી વિગત મુજબ થાનગઢ આંબેડકરનગરમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે થાનગઢ પોલીસના પીઆઇએ એસ. ગૌરી સહિતના સ્ટાફે આંબેડકરનગર શેરી નં. રમાં જી.એમ. સી. સીરામીક સામે રહેતા સંજય ગોવિંદભાઇ પરમારના મકાનમાં બીજા માળે પતરાની ઓરડીમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક સંજય પરમાર, મુળીના રામપરડાના સાંગા દેવાયતભાઇ કરપડા, થાનગઢના પરસોતમ સોમાભાઇ રાઠોડ, આંબેડકરનગર-૪ ના કાળુ ધનાભાઇ રાઠોડ, બાબુ ગેલાભાઇ મકવાણા અને થાનગઢ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરના રવી ધનજીભાઇ વાઘેલાને પકડી લઇ રૂ. ૩ર,૦૦૦/- રોકડા મોબાઇલ તથા બાઇક મળી રૂ. પપ,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી પીઆઇ એ.એચ. ગૌરી તથા પીએસઆઇ એન.પી. મારૂ તથા જી.એન. શ્યારા, એ.એસ.આઇ., સલીમ બક્ષીભાઇ, હેડ કોન્સ. જયરાજસિંહ, ઇન્દ્રજીતસિંહ, દિલીપભાઇ, મનોજભાઇ, મુન્નાભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(11:47 am IST)