Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વડતાલ શ્રી સ્વામીનારાયણ મંદિરે શુક્રવારે દિવ્યાંગોને કૃત્રિમ અવયવો અપર્ણ કરાશે

પૂ. રાકેશ પ્રસાદ મહારાજ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, સી. આર. પાટીલ સહીતના ઉપસ્થિત રહેશે

વડતાલધામ ના આગણે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ''વિશ્વ દિવ્યાંગ દિવસે'' ૭૦૦ દિવ્યાંગજનોને HI TECH PROCTHETIC LIMBS અર્પણ કરવાનો કાર્યક્રમ રાખેલ છે. જે સરવાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના શિક્ષાપત્રી - ૧૩૯  અમારા આક્ષ્રિત કે ગ્રહસ્થ, તેમણે માતા, પિતા અને ગુરૂ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય, તેમની સેવા તે જીવન પ્રયત પોતાના સામર્થ પ્રમાણે કરવી જે આજ્ઞાને સાકાર કરવા શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા  Helping Hands For Humanity તથા સમાજસેવી શ્રેષ્ટિઓના આર્થિક સહકારથી  ''વિશ્વ દિવ્યાંગ દિવસે''  સંપ્રદાયની રાજધાની શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામના આગણે સતસંગ સમાજ અને રાજકીય મહાનુભાવોના સાનિધ્યમાં તારીખ ૩ / ૧૨ / ૨૦૨૧ને શુક્રવારના રોજ ૭૦૦ જરૂરિયાતમંદ દિવ્યાંગજનો HI TECH PROSTHETIC LIMBS અપર્ણ કરાશે

 પ.પૂજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી આશીર્વાદ પાઠવશે તેમજ આ કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવત્રજી ( ગુજરાત ) તેમજ આ પ્રંસગે મહાનુભાવમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ ગુજરાત રાજ્યના સી.આર. પાટીલ હાજર રહેશે  તેમજ પ્રેરણા પૂજ્ય તપોમૂર્તિ સ્વામીશ્રી મોહનપ્રસાદદાસજી સ્વામી, નાર પૂજ્ય પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - ડભોઈ ,આ કાર્યક્રમના આયોજક કોઠારી સ્વામી પ.પૂ શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી - ચેરમેન વડતાલ મંદિર, ડો.સ્વામી સંતવલ્ભદાસજી ( કોઠારી શ્રી ) આ કાર્યક્રમ પ.પૂ ધર્મ ધુરંધર આચાર્યશ્રી ૧૦૦૮ પૂજ્ય શ્રી રાકેશ-સાદજી મહારાજશ્રીના પાવન સાનિધ્યમાં અને તેમના માર્ગદર્શન મુજબ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છ આ પ્રસંગે અનેક જગ્યાઓમાંથી પૂજ્ય સંતો પધારશે ભાવિક, ભકતજનો, હરિ ભકતો હાજરી આપશે જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી ( ડી.ક.ે સ્વામીજી) ની યાદીમાં જણાવાયું  છે.

(12:53 pm IST)