Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ઘોરાજી શહેરનાં ૫૬ વર્ષીય પુરૂષનું કોરોનાની સારવાર દરમ્યાન મોત

આધેડ પુરુષ રાજકોટના પીડીયુ ખાતે કોરોનાની સારવાર લઇ રહ્યા હતા : વેક્સિનના એક પણ ડોઝ લીધા ન હતા.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી :ધોરાજી શહેરના નગરજનો માટે ફરી ચિંતાજનક સમાચાર સાપડી રહ્યા છે. ધોરાજીના એક આધેડ પુરુષનું કોરોના ને કારણે મૃત્યુ થયું હોવાનું આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યું હતું.
ધોરાજી બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર પુનિત વાછાણી એ માહિતી આપતાં જણાવેલ કે ધોરાજીના ૫૬ વર્ષીય આધેડ પુરુષ રાજકોટના પીડીયુ ખાતે કોરોનાની સારવાર લઇ રહ્યા હતા જેમાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.
વિશેષ માહિતી આપતાં જણાવેલ કે કોરોનાની મહામારી માં અને ત્યારબાદ પણ મૃતક આધેડે કોરોના અંગેનું કોઈપણ ટેસ્ટ કરાવ્યો હતો કે તેમણે વેક્સિનના એક પણ ડોઝ લીધા ન હતા. જેઓનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે આજ રોજ મૃત્યુ થયેલ છે. તમામ નાગરિકો રસીકરણની અગત્યતા સમજે. અને તમામ જનતાને કોરોનાની વેકસીનના બન્ને ડોઝ લેવા જણાવવામાં આવે છે

(7:14 pm IST)