Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મોરબીના રાષ્ટ્રભકત યુવાનોએ શહીદ પરિવારને મદદ પહોંચાડી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૩૦: મોરબી ભાજપના યુવા અગ્રણી અને રાષ્ટ્રભકત અજય લોરિયા સહિતના યુવાનો દ્વારા શહીદના પરિવારને આર્થિક સહાય માટે રૂ. ૧.૭૫ઙ્ગ લાખનો અર્પણ કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન સેવાભાવી, રાષ્ટ્રભકત અજય લોરીયા તેમજ તેમના સાથી રાષ્ટ્રભકતોએ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા દહેગામના કંથારપુરા ગામના જયદીપસિંહ સોલંકીના પરિવારને મળીને તેમની ત્રણ દીકરીઓને ફંડ એકત્ર કરી રૂ.૧,૭૫,૦૦૦ઙ્ગ આપીને માં ભારતીનું ઋણ ચૂકવી ધન્યતા અનુભવી છે.

(12:36 pm IST)