Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જેતપુર પાસે નદીના પુલ નીચેથી પડી જતા કમલેશભાઇ પીઠડીયાનું મોત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૩૦ : જેતપુર ગાલોરીયા નદીના પુલ નીચે પડી જતા આધેડનું મોત થયુ હતુ.

શહેરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા કમલેશભાઇ છગનભાઇ પીઠડીયા (ઉ.વ.પ૬)નો ગઇકાલે સાંજે ખીરસરા રોડ પર આવેલ ગાલોરીયા નદીના પુલ નીચેથી એ બનાવના સ્થળે પહોંચી જઇ ઓળખી બતાવી મૃતદેહન પી.એમ. માટે ખસેડેલ આ અંગે પરિવારજનોએ જણાવેલ કે, કમલશેભાઇને છેલ્લા ર થી ૩ વર્ષ બીમારી હોય જે છેલ્લા ૮ દિવસથી વધી જતાં કોઇપણ સમયે કોઇને કહયા વગર જતા રહેતા ગઇકાલે પણ કોઇને કહેતા વગર જતા રહેલ જેઓ પાણીમાં ડુબી જતા મોત નીપજેલ હતુ.

(1:02 pm IST)