Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ધોરાજીના સ્ટેશન પ્લોટમાં પાણીનો વેડફાટ : પાણીની લાઈન લીકેજ હોવાને કારણે હજારો લીટર પાણી વેડફાયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ડોક્ટર પ્રવીણભાઈ ગરબીચોક ખાતે આજરોજ નગરપાલિકાની પાણીની લાઇન લીકેજ હોવાને કારણે હજારો લીટર પાણી નો વેડફાટ થયો હતો.

ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા પીવાનું પાણી શહેરીજનોને દર ચારથી પાંચ દિવસે વિતરણ કરવામાં આવે છે અને તેમાં પણ અમુક વિસ્તારોમાં પાણીની લાઈન લીકેજ થવાના બનાવો છાશવારે બનતા રહે છે અગાઉ પણ ગટરના ગંદા પાણી પીવાના પાણીની લાઇન સાથે ભળી જતા અમુક વિસ્તારોમાં પીવા માટે ગંદુ અને ડહોળું પાણી નગરજનોને મળ્યું હતું તને આ મામલે લોકોમાં તંત્ર પરત્વે ભારે આક્રોશ છવાયો હતો હાલમાં પણ આ પ્રકારે પાણીની લાઇન લીકેજ થઈ હોવાથી મોટા પાયે પાણીનો ખોટુ વેડફાટ થવા સાથે લોકોને પાણી ફોર્સ થી મળ્યું ન હતું.

 

(8:10 pm IST)