Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

"જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ" મીટરગેજ ટ્રેન ત્વરિત શરૂ કરાશે : સાંસદ રાજેશ ચુડાસમાને ડીઆરએમ મનોજ ગોયલની ખાત્રી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર: પશ્ચિમ રેલ્વે ભાવનગર વિભાગનાં ડીવીઝનલ રેલ્વે મેનેજર  મનોજ ગોયેલએ જૂનાગઢનાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાને એક લેખિત પત્ર પાઠવી જણાવેલ છે કે, કોવીડ-19નાં કારણે બંધ કરેલ "જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ" ટ્રેન નં.52952/ 52951ને ચાલુ કરવા માટે રેલ્વે બોર્ડની મંજૂરી માટે મુખ્ય કચેરીને પત્ર ક્રમાંક : ટી 425/3 તા.24-11- 2021 તથા તા.29-11-2021થી મોકલેલ છે અને રેલ્વે બોર્ડની મંજૂરીની સંપૂર્ણ અપેક્ષા છે. દરમિયાન ગાડી ચલાવવા માટે આંતરિક આંતરિક કાર્યવાહી રેલ્વે વિભાગ દ્વારા થઇ ચૂકી છે.જેથી રેલ્વે બોર્ડની મંજૂરી મળવાની સાથે જ ગાડી નં.52952/52951 "જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ" તુરત જ ચાલુ કરી દેવામાં આવશે તેમ સાંસદ ચુડાસમાને પાઠવેલ લેખિત પત્રમાં ડીઆરએમ ગોયેલએ જણાવ્યું છે.

(12:15 am IST)