Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મોરબીના મકનસર ગામે દેવું થઇ જતા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મૃતક યુવાન એલ્યુમીનીયમના બારી બારણાનું કામ કરતો હતો

મોરબીના મકનસર ગામ નજીક એક યુવાને દેવું થઇ જતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે

જે બનાવની પોલીસ મથકેથી મળતી વિગતો પ્રમાણે મકનસર ગામે વાદીપરામાં રહેતા અનિલભાઈ ભગવાનજીભાઈ ઝીન્ઝુંવાડિયા નામના યુવાને નશો કરવાની ટીકડીઓ ખાઈને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે મૃતક યુવાન એલ્યુમીનીયમના બારી બારણાનું કામ કરતો હોય અને એડવાન્સ પૈસા લઈને નશો કરવાની ટીકડીઓ ખાઈ દેણું થઇ ગયું હોય જેથી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(9:11 pm IST)