Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કચ્‍છમાં કોરોના ધીમો પડયો : નવા કેસ ઘટીને માત્ર ૩૬ થયા : એક પણ મોત નહી : ૫૩ દિવસ બાદ યમરાજાએ પોરો ખાધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૧ : સતત ફફડાટ મચાવ્‍યા બાદ હવે કોરોના કચ્‍છમાં ધીમો પડ્‍યો છે.

રવિવારે નવા કેસ માત્ર ૩૬ નોંધાયા છે અને એક પણ મોત નોંધાયું નથી. ૧૭૮ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે અને સાજા થનાર દર્દીઓ પણ વધી રહ્યા છે.ᅠ સતત ૫૩ દિવસ પછી એક પણ મોત નોંધાયું ન હોઈ યમરાજાએ પોરો ખાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

અત્‍યારે સારવાર હેઠળ ૨૬૭૯ દર્દીઓ છે. કેસ ઘટતાં સરકારી ચોપડે ખાલી બેડની સંખ્‍યા વધી છે. કુલ ૪૦૫૪ માંથી ૨૮૫૫ બેડ ખાલી છે.

(10:41 am IST)