Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જુનાગઢ જીલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડોઃ ર૪ કલાકમાં ૧૦૮ કેસ, ૧ મોત

જુનાગઢનાં ૧ર૮ સહીત ર૬૦ દર્દી ડિસ્‍ચાર્જ

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૩૧: જુનાગઢ જીલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા ર૪ કલાકમાં માત્ર ૧૦૮ કેસ અને એક મૃત્‍યુ નોંધાયું હતું.

સમગ્ર રાજયની સાથે જુનાગઢ જીલ્લામાં કોરોના થાકી ગયો હોય તેમ જીલ્લામાં શનીવારે ૧૨૦ નવા કેસ આવ્‍યા બાદ રવીવારે ૧૨ કેસના ઘટાડા સાથે માત્ર ૧૦૮ કેસ જ નોંધાયા હતા.

તા.ર૬મીએ જુનાગઢ સીટીમાં ૪૨ કેસ આવ્‍યા બાદ ગઇકાલના ૩૦નાં રોજ ૩પ કેસની એન્‍ટ્રી થઇ હતી.

જો કે શનીવારના રોજ સદનસીબે એક પણ મૃત્‍યુ થયુ ન હતું. પરંતુ રવીવારે એક પેશન્‍ટને જુનાગઢ ગ્રામ્‍યમાં કોરોના ભરખી ગયો હતો.

છેલ્લા બે દિવસમાં જીલ્લામાં પ૯૮ દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી. શનીવારે જુનાગઢના ૧૩૩ સહીત ૩૩૮ અને રવીવારે જુનાગઢના ૧૨૮ સહીત  ર૬૦ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો હતો.

(11:09 am IST)