Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સરધારમાં હળવાશઃ ગામ હવે કોરોના મુકત

રાજકોટ તાલુકાના બીજા નંબરના ગામમાં એકાદ મહિનામાં ૪૭ મૃત્યુ થયેલ

રાજકોટ તા. ૩૧: તાલુકામાં વસતીની દૃષ્ટિએ બીજો ક્રમ ધરાવતા સરધાર ગામમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ હવે હળવાશ થઇ છે. એપ્રિલ પ્રારંભથી મેના પ્રારંભ સુધીના એકાદ મહિનામાં ગામમાં ૪૭ જેટલા જુદી જુદી વયના મૃત્યુ થતા ગામમાં ભારે ચિંતા વ્યાપી ગઇ હતી.

રાજકોટ તાલુકા પંચાયતના સ્થાનિક સભ્ય ચેતન પાણ કહે છે કે એપ્રિલ મહિનો સરધાર માટે ખૂબ ભારે રહેલ તે વખતે ગામના આરોગ્ય કેન્દ્રમાં રોજના સરેરાશ ૧૦૦ નવા કેસ નોંધાતા હતા. એકાદ મહિના જેવા કુલ ગાળામાં સામાન્ય ૪૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મે મહિનામાં ક્રમશઃ પરિસ્થિતિ થાળે પડતી ગઇ, આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય પરિસ્થિતિ થઇ ગઇ છે. છેલ્લા અઠવાડિયામાં નવો કોઇ કેસ નથી ઇશ્વર કૃપા અને સેવામાંથી લોકોના સહકારથી ગામ કોરોનાથી મુકત થઇ ગયું છે. કોરોના મુકત વાતાવરણ જાળવી રાખવા લોકો સજાગ રહી સહયોગી બની રહે તે જરૂરી છે.

(11:59 am IST)