Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ એકનું મોત : ૬૬ કેસ નોંધાયા

જિલ્લામાં નોંધાયેલ કુલ ૨૧,૧૭૦ કેસો પૈકી ૭૩૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩૧ : ભાવનગર જિલ્લામા વધુ ૬૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૧૭૦ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૮ પુરૂષ અને ૯  સ્ત્રી મળી કુલ ૨૭ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૧૦, ઘોઘા તાલુકામાં ૫, તળાજા તાલુકામાં ૮, મહુવા તાલુકામાં ૨, સિહોર તાલુકામાં ૭, પાલીતાણા તાલુકામાં ૧, ઉમરાળા તાલુકામાં ૩ તેમજ ગારીયાધાર તાલુકામાં ૩ કેસ મળી કુલ ૩૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૮ અને તાલુકાઓમાં ૨૮ કેસ મળી કુલ ૪૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨૧,૧૭૦ કેસ પૈકી હાલ ૭૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૮૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(12:02 pm IST)