Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જુનાગઢમાં મકાન ખાલી કરી લાઇટ બીલ ભરવાનું કહેતા મકાન માલીક પર હુમલો

બે મહીલા સહીત પાંચ શખ્સો તુટી પડયા

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૩૧: જુનાગઢમાં મકાન ખાલી કરી લાઇટ બીલ ભરવાનું કહેતા બે મહીલા સહીત પાંચ શખ્સોએ મકાન માલીક સહીત બે વ્યકિત ઉપર હુમલો કર્યો હતો.

બનાવની વિગતો એવી છે કે માંગરોળના કિશોરભાઇ મેણસીભાઇ મકવાણાનું જુનાગઢમાં મંગલધામ-૧ ખાતે  મકાન આવેલ છેે જેમા જીતુભાઇ કાંતીભાઇ સોંદરવા તેમના ભાડેથી રહેતા હતા.

ગઇકાલે સાંજે કિશોરભાઇએ જીતુભાઇને મકાન ખાલી કરી લાઇટ બીલ ભરવા જણાવ્યું હતું. પરંતુ જીત સોંદરવા તથા તેની પત્ની તેમજ પિતા કાંતીભાઇ કરશન અને માતા ઉપરાંત ભાઇ કાના સોંદરવાએ ગેરકાયદે મંડળી રચી હુમલો કર્યો હતો.

જેમાં મકાન માલીક કિશોર મકવાણાને ધારીયા તથા છરી વડે ઇજા  પહોંચાડી ગોવીંદભાઇ નામની વ્યકિતને તમામે ઢીકા પાટુનો માર માર્યો હતો.

આ અંગે ડીવીઝન પોલીસે રાત્રે બે મહીલા સહીત પાંચ શખ્સો સામે રાયોટીંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.વિશેષ તપાસ પીએસઆઇ જે.જે. ગઢવી ચલાવી રહયા છે.

(1:22 pm IST)