Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જેતપુરના ઉમરાળી ગામે નવજાત-બાળકીને ત્યજી દેતા સારવાર દરમ્યાન મોત

(કેતનલ ઓઝા દ્વારા) જેતપુર, તા. ૩૧ :  તાલુકાના ઉમરાળી ગામે રહેતા જયેશભાઇ સાવલીયા સવારે ૭ વાગ્યાના અરસામાં પોતાના ઘેર હતાત્યારે દિવાળીબેન પંચાસરાએ ત્યાં આવી જણાવેલ કે ગામની ઉગમણી સીમમાં કરશનભાઇ રવજીભાઇ ટીંબડીયાની વાડીના સેઢે ત્યજી દેવાયેલ નવજાત બાળકીના રડવાનો અવાજ આવે છે. જેથી ત્યાં જઇ જોતા બાવળની જાળી જમીન ઉપર તાજુ જન્મેલ બાળકી પડેલ હતી. જેથી આરોગ્ય સેન્ટરમાં લઇ જઇ ૧૦૮ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડેલ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ ત્યારબાદ મોત નીપજતા પોલીસે બાળકીને ત્યજી દેનાર અજાણી સ્ત્રી વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી પીએસઆઇ આર.એ. ભોજાણીએ હાથ ધરી છે.

(3:12 pm IST)