Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ટંકારાની ખીજડીયા ચોકડી નજીક પુરુષનો મૃતદેહ મળ્યો

મૃતક રવીન્દ્રભાઈ દલસિંગ પરમાર હોવાનું ખુલ્યું :મૃતક મૂળ દાહોદ જીલ્લાના વતની

ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોય જે બનાવને પગલે પોલીસે તપાસ ચલાવી છે ખીજડીયા ચોકડી પાસે છાપરી સામે બાવળની કાંટમાં આશરે ૨૫ થી ૩૦ વર્ષના અજાણ્યા પુરુષનું મોત થયું હતું જે મૃતક રવીન્દ્રભાઈ દલસિંગ પરમાર હોવાનું ખુલ્યું હતું મૃતક મૂળ દાહોદ જીલ્લાના વતની હોય અને હાલ ટંકારા રહેતા હોવાની માહિતી મળી છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(8:16 pm IST)