Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મોરબીમાં ૧૦૦ ટકા વેકસીનેટેડ સ્ટુડન્ટસ ધરાવતી કોલેજનું બહુમાન પ્રાપ્ત કરતી નવયુગ કોલેજ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૧ : ગુજરાત સરકાર પ્રેરીત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત વેકસીનેશન અભિયાન અંતર્ગત નવયુગ કોલેજ વેકસીનેશન કેન્દ્રમાં તમામ સ્ટુડન્ટ્સને વેકસીન આપવામાં આવી હતી.

ગુજરાત સરકારના વેકસીનેશન અભિયાનને વેગવંતુ બનાવવાની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પહેલના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત વેકસીનેશન અભિયાનના સંદર્ભમાં નવયુગ કોલેજને કેન્દ્ર આપવામાં આવ્યું હતું. નવયુગ કોલેજમાં B.Sc, B.Ed, B.B.A, LL.B માં અભ્યાસ કરતા તમામ સ્ટુડન્ટ્સ અને સ્ટાફનું આજે નવયુગ કોલેજના કેન્દ્રમાં વેકસીનેશન કરવામાં આવ્યું હતું અને નવયુગ કોલેજે ૧૦૦% વેકસીનેટેડ સ્ટુડન્ટ્સ ધરાવતી કોલેજ હોવાનું બહુમાન પ્રાપ્ત કર્યુ હતું.

વેકસીનેશન કરાવવા બદલ નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાએ સ્ટુડન્ટ્સને આવકાર્યા હતા અને તેઓ સમાજમાં વેકસીનેશન બાબતે લોકોને જાગૃત કરે તેવું આહવાન કર્યુ હતું. આ તકે પી.ડી.કાંજીયાએ મોરબી નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગના હોદ્દેદારોનો આભાર માન્યો હતો.

(1:10 pm IST)