Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

મોરબી રામધન આશ્રમે રામદેવજી મહારાજનો નેજા ઉત્સવ

મોરબીઃ રામધન આશ્રમ ખાતે ભાદરવી અગિયારસ રામદેવજી મહારાજનો નેજા ઉત્સવ, યજ્ઞ અને પૂજા વિધિ સાદગીથી યોજવામાં આવી હતી. રામધન આશ્રમ ખાતે રામદેવજી મહારાજનો નેજા ઉત્સવ, યજ્ઞ પાટ અને પૂજા વિધિ કોરોના મહામારીને પગલે સાદગીથી મર્યાદિત લોકોની હાજરીમાં ઉજવાઈ હતી તે ઉપરાંત કાલીન્દ્રી નદીમાં નવા નીરની આવક થતા દરેક સરિતાના જળ સાથે શ્રીફળ ચુંદડી અને પ્રસાદ અર્પણ કરી નવા નીરના વધામણા કરાયા હતા મહંત ભાવેશ્વરી માં દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવે છે.

(10:52 am IST)