Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

જામનગર જિ.માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું માર્ગદર્શન આપતા ધનસુખ ભંડેરી

મ્યુ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ભંડેરીના અધ્યક્ષ સ્થાને : APMC હાપામાંજામનગર-ધ્રોલ જોડિયાના ખેડૂતોને માર્ગદર્શન કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન જોડાયા

જામનગર, તા. ૩૧: તાજેતરમાં ખેડૂતોને કુદરતી આપદા સમયે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર થયેલ છે. આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ખેડુતોને અન્ય યોજનાઓ જેવી કે, ખેડૂતો અને ખેત મજૂરો માટે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કિટ યોજના, કિસાન પરિવહન યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના, દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક કૃષિ પદ્ઘતિ-જીવામૃત બનાવવા કીટ માટેની સહાય, ટપક સિંચાઈ માટે કોમ્યુનિટી બેઝ ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવા માટેની સહાય યોજના, વિનામૂલ્યે છત્રી અને શેડ કવર પૂરા પાડવા વિશેની યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર  એ.પી.એમ.સી હાપા ખાતે જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાના કલસ્ટરના ખેડૂતો તેમજ કાલાવડ-રાજકોટ હાઇવે પરના સુર સાંગળા હનુમાન મંદિર ખાતે લાલપુર, કાલાવડ અને જામજોધપુરના કલસ્ટરના ખેડૂતોને માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષસ્થાને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

આજે ગુજરાતી શબ્દ આજે વિકાસનો પર્યાય બની ગયો છે તેમ જણાવી ચેરમેને કહ્યું હતું કે, રાજય સરકાર ખેડૂતલક્ષી સરકાર છે. સરકાર દ્વારા ખેડૂતો માટે વાવણીથી લઈને વેચાણ સુધીની અનેક યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. સબસીડાઈઝ ખાતર, સબસીડાઈઝ વીજળી, સિંચાઇની સુવિધાઓ, ગુણવત્તલક્ષી બિયારણથી લઈને ટેકાના ભાવે ખરીદી કરીને રાજયના ખેડૂતોના વિકાસ દ્વારા ગુજરાત કૃષિ વિકાસમાં ૯.૩ ટકાના દર સાથે પ્રથમ સ્થાને છે. રાજયમાં ૬૩૦૦ કરોડના ખેત ઉત્પાદનોની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. નાનામાં નાના સીમાંત ખેડૂતને પણ યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજય સરકારે સતત ચિંતા કરી છે.

આ તકે કાલાવડ ખાતે કૃષિ અને વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુ જોડાયા હતા, જયાં તેમણે કહ્યું હતું કે, કિસાન હિતમાં મહત્વની યોજના, કિસાન કલ્યાણના સંદર્ભમાં વીમાની વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે રાજય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતાના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન કરનાર અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ અને કમોસમી માવઠું જેવા પ્રસંગોએ પાક નુકશાન માટે પારદર્શક અને સરળ પદ્ઘતિ દ્વારા નુકસાન સામે ખેડૂતને સહાય મળી રહે તે વિશે માહિતગાર કરવા માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ડિસ્ટ્રિકટ બેંકના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, એ.પી.એમ.સી. હાપાના વાઇસ ચેરમેન ધીરજભાઈ કારિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રફુલ્લાબા જાડેજા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ ભીમજીભાઈ મકવાણા, જાડાના પૂર્વ ચેરમેન દિલિપસિંહ ચુડાસમા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ કશ્યપભાઇ વૈષ્ણવ, પુર્વ ધારાસભ્યશ્રી મેદ્યજીભાઈ ચાવડા, કાલાવડ માર્કેટીંગ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ સરવૈયા, તાલુકા પ્રમુખ ગાંડુભાઇ ડાંગરિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા તથા વગેરે મહાનુભાવો અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

(2:41 pm IST)