Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ગોંડલના રાજવી પરિવારે કોરોનાને મહાત આપી મહારાજા જ્યોતિન્દ્રસિંહ, મહારાણી કુમુદકુમારીબા ને હોસ્પિટલ માંથી રજા અપાઈ

હોટલ ઓરચડ ખાતે પત્રકારો ને માહિતી આપતા યુવરાજ હિમાંશુસિંહજી : લોકો તેમજ સંતોનો આભાર માન્યો1

ગોંડલ : ગોંડલ મહારાજા સાહેબ તથા મહારાણી સાહેબ કોરોના થી સંક્રમીત થયેલ પરંતુ ઈશ્વર ની કૃપા થી અને દરેક સંપ્રદાયના પૂજ્ય સંતો ના આશીર્વાદ થી અને દરેક શુભેચ્છકો ની પ્રાર્થના થી બિલકુલ સ્વસ્થ થઈ આજે પેલેસ પધાર્યા છે...

         આ સાથે ડૉક્ટર સાહેબો, પેરા મેડિકલ સ્ટાફ તથા રાજવી પરિવારો તથા રાજકીય અગ્રણીઓ તથા સમાજ ના અગ્રણીઓ તથા તમામ અમારા શુભેકચ્છકો એ આ કપરા સમય માં અમોને સાથ સહકાર અને હૂફ આપી છે તે બદલ સૌનો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ મહામારી માંથી સમગ્ર વિશ્વ જલ્દી બાર આવે તેવી માતાજી ને પ્રાર્થના તથા તમામ નગરજનો ને અપીલ કરું છું કે સરકારશ્રી ના દરેક નિયમો નું પાલન કરી જાગૃત બની અને કોરોના ને હરાવવા નો સહિયારો પ્રયાસ કરી...

          રાજવી પરિવાર આ મહામારી માં જ્યાં પ્રજાજનો ને જરૂર પડ્યે સાથે છે... 

(8:53 pm IST)