Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જુનાગઢમાં કોરોના કાળમાં સદ્ગતિ પામેલાઓના મોક્ષાર્થે લેઉઆ પટેલ મહિલા સમિતિ દ્વારા ભાગવત સપ્તાહ

જૂનાગઢ તા.૩૧ :  ગરવા ગિરનાર ની પાવન ભૂમિમાં ગત કોરોના કાળ દરમ્યાન સ્વર્ગવાસ થયેલ આત્મા ઓની શાંતિ અર્થે શ્રી લેઉઆ પટેલ મહિલા સમિતિ જૂનાગઢ દ્વારા જોષીપરા કયાડા વાડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે આં સપ્તાહ ૨૭/૧૨/૨૦૨૧ સોમવાર થી શરૂ થઈ ૦૨/૦૧/૨૦૨૧ રવિવાર ના રોજ પૂર્ણા હુતી થશે આં ભાગવત સપ્તાહ નું સુ પ્રસિદ્ધ વકતા શ્રી શાસ્ત્રી રવિભાઈ દવે મોનપરી વાળા પોતાની સુમધુર સંગીત મય વાણીમાં ભાવિકો ને કથામૃત નું રસપાન કરાવી રહ્યા છે 

આ કથામાં આજરોજ વામન /રામ પ્રાગટય નંદોત્સવ આયોજન થયેલ જેમાં મેયર ધીરુભાઈ ગોહેલ, ડો. ડી.પી.ચિખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, ધારાસભ્ય ભીખાભાઈ જોશી ના સુપુત્ર મનોજ ભાઈ જોશી.જી.પી. કાઠી, અમુભાઈ પાનસુરીયા એડવોકેટ  કેડી.પંડ્યા, પુનિત શર્મા શહેર ભાજપ પ્રમુખ.સહિત ના એ હાજરી આપી હતી. જ્યારે કાર્યક્રમ ને સફળ બનાવવા સમિતિના અમુભાઈ પાનસુરીયા, ભાવનાબેન પોશિયા, નિર્મળાબેન ડોબરીયા, જાગૃતિબેન વઘાસિયા. હર્ષાબેન વઘાસિયા, ઇલાબેન વઘાસિયા ગીતાબેન પોષિયા, કાજલ બેન બાબરીયા, મીનાબેન સુખડીયા, પારૂલબેન ચોથાનીનીરૂપાબેન્ન પોસિયા, મીના્ષીબહેન લુણાગરિયા, કાજલ બેન ભુવા. ભદ્રાબેન વૈષ્ણવ, મીતાબેન લીલા, ક્રિષ્નાબેન પોષીયા, જલાબેન રાનોલિયા સહિતના ભારે જહેમત ઉપાડી રહેલ છે જ્યારે કાર્યક્રમ નું સંચાલન પ્રભાબેન પટેલ કરી રહ્યા છે.

(12:51 pm IST)