Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબીમાં સતવારા સમાજ વાડી ખાતે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાયો.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીના વજેપર મેઈન રોડ પર આવેલ સતવારા સમાજ વાડી ખાતે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

જે કેમ્પમાં આયુર્વેદ ચિકિત્સાનો ૨૨૬ દર્દીઓ, હોમિયોપેથી ચિકિત્સાનો ૭૦, યોગ શિબિરનો ૧૦૫, અગ્નિકર્મ સારવારનો ૧૫ લાભાર્થીઓએ લાભ લીધો હતો તેમજ સ્વસ્થવૃત ચાર્ટ પ્રદર્શનનો ૩૦૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો
જે કેમ્પમાં વૈઘ ખ્યાતીબેન ઠકરાર, વૈઘ અલ્તાફ શેરશીયા, વૈઘ શ્રીબા જાડેજા, ડો. વિજયભાઈ નાંદરીયા અને ડો. જે પી ઠાકર તેમજ ડો. એન સી સોલંકી સહિતના ડોક્ટરોની ટીમે સેવા આપી હતી.

(11:30 pm IST)