ભેંસાણ નજીકથી ૬ શખ્સો,મેંદરડા પાસેથી ૪ ઇસમો નશામાં ઝબ્બે
નશાખોરો સામે પોલીસની કાર્યવાહી
(વિનુ જોશી) જુનાગઢ તા. ૧ :.. પોલીસે નશાખોરો સામે કાર્યવાહી હાથ ધરીને ભેંસાણ નજીકથી ૬ શખ્સોને મેંદરડા પાસે ૪ ઇસમોને રાજાપાઠમાં પકડી પાડયા હતાં.
ભેંસાણનાં હેડ કોન્સ્ટેબલ વી.એસ. પરમારે સુખપુર ગામેથી મનીષ જેઠસુર લોહાણા, ભતગામનાગ મુળુ મેઘજીભાઇ ગોહીલ, રાવપુર ખાતેથી અલ્પેશ ઉર્ફે કાનો જેન્તીભાઇ મારૂ, બામણસાગીરમાંથી રાજુ ભીખુભાઇ જારેરા અને નંદપર ગામેથી ફિરોઝ ઉર્ફે જાની મામદ ગામેતીને નશો કરેલ હાલતમાં ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી કરી હતી.
તેમજ મેંદરડાનાં પોલીસ કર્મી વિક્રમભાઇ, રણજીતભાઇ, મુકેશભાઇ અને સંજયભાઇ વગેરેએ જોઇપુર ગામ નજીકથી રાજકોટનાં યશ કનુભાઇ નરેલા, જુનાગનો જયદીપ પ્રતાપદાન ગઢવી, વિવેક અરૂણભાઇ શશાંગીયા અને ધવલ જગદીશ શશાંગીયાને રાજાપાઠમાં પકડી પાડયા હતાં.
આ ઉપરાંત જુનાગઢ તાલુકામાંથી એક, બે શીલમાંથી અને માંગરોળ જારન ખાતેથી એક નશાખોરની પોલીસે ધરપકડ કરી હતી.