સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st March 2021

ભાવનગર : તખ્તેશ્વર મંદિર પરિસર પ્લાસ્ટીક અને કચરા મુકત :

ભાવનગર : તખ્તેશ્વર કાર્નિવલના પ્રથમ દિવસે તક્ષશિલા એજયુકેશન ઇન્સ્ટીટયુટના ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેકટર અભ્યાક્રમના વિદ્યાર્થીઓ અને તક્ષશિલા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ તેમજ સ્વયંસેવકો દ્વારા તખ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરને પ્લાસ્ટીક અને કચરા મુકત કરાયુ. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા મંદિર ફરતે ટેકરી પરથી તેમજ મંદિર પરિસરની દિવાલ આજુબાજુના વિસ્તારમાંથી ર.પ ટન જેટલો પ્લાસ્ટીક, કાગળ, કાચની બોટલો સહિતનો કચરો એકત્રીત કરી તેનો યોગ્ય નિકાલ કરી મંદિર પરિસરને નયનરમ્ય બનાવાયુ. તખ્તેશ્વર કાર્નિવલના પ્રથમ દિવસે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ નિયમીત આવતા દર્શનાર્થીઓ અને સ્વયંસેવકો ભાવેણાના ગૌરવની ઉજવણીનો ભાગ બન્યા હતા.

(12:01 pm IST)