ચિત્રાવડમાં શોક લાગતા વાડીના ભાગીયાનું મોત
કાનાવડાળા પાસે રાજકોટના કાર ચાલકને માર્યો
જામકંડોરણા તા. ૧ :.. ચીત્રાવડ ગામે ખેતીમાં ભાગીયું રાખી મજૂરી કામ કરતા કૈલાશ શુભાન ભીલાળા (ઉ.વ.૩૦) વાળાને પશુઓની રંજાળ ન થાય તે માટે વાડીને ફરતે જટકા શોર્ટ મુકેલ હોય અને તે શોર્ટ લાગતા ભાયાવદર સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં આવતા કરૂણ મોત થયેલ ભાયાવદર ખાતે પી. એમ. કરેલ હતું. મરણ જનાર પરીવાર સાથે છેલ્લા ૩ વર્ષથી એમ. પી. થી ચીત્રાવડ હરીશીંગ મહીપતસિંહ ચુડાસમાની વાડીએ ભાગીયું રાખી ખેતી કામ કરતા હતાં.
મયુરભાઇ કોરઠીયા તપાસ ચલાવી રહેલ છે.
રોંગ સાઇડમાં આવતા હોય
જામકંડોરણાના કાનાવડાળા પાસે રાજકોટના કાર ચાલક કિંજલભાઇ રમેશભાઇ આંબલીયાએ એક ઇકો કાર તેમની સામે રોગ સાઇડમાં આવતી હોય તમે રોંગ સાઇડમાંથી ચલવો છે કહેતા ઇકોના ચાલક સહિત લાલો રહે સાતોદળ તથા તીર્થરાજ રહે. રાજપરા તથા એક અજાણ્યો શખ્સે ત્રણે મળી માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ફરીયાદ કરતા પોલીસે આઇપીસી કલમ ૩ર૩, પ૦૪, પ૦૬, અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ હતી. આ બનાવ અંગે બીટ જમાદાર એલ. એમ. જાબુકીયા તપાસ ચલાવી રહેલ છે.
પરણીતા ભુલથી
એસીડ પી જતા
જામકંડોરણા રહેતા સુનેરાબેન અયુબભાઇ પઠાણ (ઉ.વ.રપ) પોતાના ઘેર ભુલથી એસીડ પી જતા સારવારમાં આવતા વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા હતાં. આ બનાવ અંગે જામકંડોરણા પોલીસના બીટ જમાદાર કિશોરભાઇ લુણાસીયા તપાસ ચલાવી રહેલ છે.